આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા વિધવા માતા - બહેનોને અને વિકલાંગ ભાઈ - બહેનોને કેસર કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

   


વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા આજ રોજ અનાસ - ખેંગ અને ટાંડા ગામમાં ગામ દીઠ 100 અને વ્યક્તિ દીઠ એક  વિધવા માતા બહેનો અને વિકલાંગ ભાઈઓ અને માતા બહેનોને કેસર કેરી આંબાના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જે બદલ આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. 

      આ કાર્યક્રમમાં સરપંચશ્રી મહેશભાઈ રોઝ, ડે.સરપંચશ્રી રાકેશભાઇ, તાલુકા સભ્ય મેલાપ રોઝ, શિક્ષક ગુલાપ રોઝ, નિવૃત્ત મામલદારશ્રી જી.એસ.સાંગોડ સર તથા આદિજાતિ સમાજના આગેવાનો, વડીલો  ઉપસ્થિત રહ્યા હતા.









Post a Comment

0 Comments